ભારત ના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ના હસ્તે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતી ભવનના દરબાર હોલમાં યોજાયેલા એક ભવ્ય સમારંભ દરમિયાન ‘સંદેશ’ ના વરિષ્ઠ પત્રકાર અને લેખક દેવેન્દ્ર પટેલ ને સાહિત્ય અને શિક્ષણ શેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન બદલ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવા માં આવ્યો હતો. શનિવારે યોજાયેલા આ સમારંભ માં વડાપ્રધાન ડો. મનમોહનસિંહ, ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી, કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે તથા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહીત કેન્દ્રીય મંત્રી મંડળ ના અનેક સભ્યો હાજર રહ્યા હતા. પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર દેવેન્દ્ર પટેલે પત્રકારત્વ શેત્રે તેમની ૪૫ વર્ષ ની કારકિર્દી દરમિયાન ટૂંકી વાર્તાઓ , નવલકથાઓ સહીત માનવજીવનની અનેક સંવેદનશીલ સત્યકથાઓ લખી છે
Dhiraj Patel
Congratulation
We feel proud to see you receiving Padmashri Award from President Of India at Rastrapatibhavn
Dhiraj N.Patel
Jayaben D.Patel
Kribhconagar,Surat.