Devendra Patel

Journalist and Author

Date: October 22, 2014

લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે સ્વીકારો ! (કભી કભી)

દીપાવલિના તહેવારોનો આરંભ થઈ રહ્યો છે.

દીપાવલિનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છે. સમૂદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો બહાર નીકળ્યાં, તેમાં સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી,તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપૂંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય કરી દીધું હતું. આ કાળી રાત્રીએ જ આપણે પ્રતિવર્ષ સમગ્ર વાતાવરણને દીપમાળાઓથી પ્રજ્વલિત કરીને મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ. લક્ષ્મીપૂજનના આ પર્વમાં લોકો મહાલક્ષ્મીનું તો પૂજન કરે છે, પરંતુ ઘણીવાર અતિધન પ્રાપ્ત કરવાની લાલસામાં લોકો લક્ષ્મીજીના પતિ નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુને ભૂલી જાય છે. આ સંદર્ભમાં વામન અવતારમાં આવતી એક સુંદર પૌરાણિક કથા પ્રસ્તુત છે.

બલિરાજા દાનેશ્વરી હતો, પરંતુ તે બાબતનું પણ સૂક્ષ્મ અભિમાન હતું.

નર્મદાનો કિનારો છે. સુંદર યજ્ઞામંડપ બાંધ્યો છે. યજ્ઞા બલિરાજા કરાવી રહ્યા છે. ભગવાન ખુદ ત્યાં વામનજીના રૂપમાં પ્રવેશ્યા. વામનજી મહારાજ સાત જ વર્ષના છે. વામનજીને સુંદર આસન આપવામાં આવ્યું છે. બલિરાજાએ તેમનું સ્વાગત કર્યું. બલિરાજાનાં પત્નીનું નામ વિંધ્યાવલી રાણી છે. રાણીએ અને બલિરાજાએ બ્રહ્મચારી વામનજીની પૂજા કરી બલિરાજા બોલ્યા ઃ “આપના દર્શન કરીને મને બહુ આનંદ થયો. મને થાય છે કે, હું બધું જ રાજ તમને અર્પણ કરું. તમારે જે જોઈએ તે માગો. ગાયો જોઈએ તો ગાયો આપું. લક્ષ્મી જોઈએ તો લક્ષ્મી આપું, ભૂમિ જોઈએ તો ભૂમિ આપું, કન્યા જોઈએ તો કન્યાદાન કરું. તમે જે માગશો તે આપીશ.”

બલિરાજા ભક્ત પ્રહ્લાદના પૌત્ર હતા.

વામનજીએ કહ્યું : “રાજા, હું સંતોષી છું. બ્રાહ્મણ છું. હું વધારે કાંઈ લેવા આવ્યો નથી. મારા પગથી માપીને ત્રણ ડગલાં પૃથ્વીનું દાન લેવા આવ્યો છું. એટલું આપ તો તારું કલ્યાણ થશે.”

બલિરાજાને લાગ્યું કે, આ વામનજી હજી તેમની ઉંમર પ્રમાણે બાળક બુદ્ધિના છે. એમને માગતા જ નથી આવડતું. બલિરાજાએ કહ્યું ઃ “મહારાજ, હજી તમે નાના છો. મોટા થશો એટલે લગ્ન થશે. બાળકો થશે. કુટુંબનું ભરણપોષણ કેવી રીતે કરશો.”

વામનજીએ કહ્યું : “રાજા ! તમે તો મને બધું આપવા તૈયાર છો, પરંતુ માગતા મારે વિચાર કરવો પડે. અતિસંગ્રહ કરવું તે પાપ છે. હું સંતોષી બ્રાહ્મણ છું. મારે તો સંધ્યા-પૂજા કરવા ત્રણ પગલાં જેટલી જ બેસવા જેટલી જ જગા જોઈએ છે.”

બલિરાજાએ કહ્યું : “ઠીક છે, આજે તો હું તમને ઇચ્છાનુસાર ત્રણ ડગલાં પૃથ્વીનું દાન આપું છું, પરંતુ ફરીથી કોઈ ચીજની જરૂર પડે તો મને કહેજો.”

સભામાં બેઠેલા શુક્રાચાર્ય ભગવાનને ઓળખી ગયા હતા. તેમણે બલિરાજાને કહ્યું ઃ “રાજન ! દાન આપતાં વિચાર કરજો. આ બ્રહ્મચારીનાં પગલાં કેવાં છે તે તમે જાણતા નથી. એ સાક્ષાત્ પરમાત્મા જ છે. તેમનાં બે પગલાંમાં આખી પૃથ્વી સમાઈ જશે. ત્રીજું પગલું મૂકવાની જગા જ નહીં રહે.”

બલિરાજા માન્યા નહીં. તેમણે દાન આપવાની તૈયારી કરી.

– અને વામનજીએ તરત જ હજાર હાથવાળું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. તેઓ તો સાક્ષાત્ ભગવાન વિષ્ણુ હતા. તેઓએ એક ડગલું ભર્યું તેમાં આખી પૃથ્વી આવી ગઈ. બીજો પગ બ્રહ્મલોકમાં લઈ ગયા. બે પગલાંમાં બલિરાજાનું બધું રાજ આવી ગયું. ત્રીજું પગલું મૂકવાની જગા રહી નથી એટલે વામનજીએ બલિરાજાને કહ્યું ઃ “રાજન, તમે ત્રણ પગલાંનું પૃથ્વીનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે સંકલ્પનું પાલન કરતો નથી તેની દુર્ગતિ થાય છે. મારું એક પગલું હજુ બાકી છે.”

બલિરાજા ગભરાયા. વામનજીએ દાન માગ્યું ત્યારે સાત વર્ષના નાના બાળક હતા. હવે દાન સ્વીકારતી વખતે તેમણે વિરાટ સ્વરૂપ પ્રગટ કરી દીધું. બલિને સૂક્ષ્મ અભિમાન હતું કે, મારા જેવો કોઈ દાનેશ્વરી જ નથી. તેમણે પરમાત્માને મન આપ્યું. ધન આપ્યું,પણ અભિમાન આપ્યું નહોતું. વામનજી ભગવાને હુકમ કર્યો ઃ “બલિને બાંધો.”

બલિરાજાનાં પત્ની વિંધ્યાવલી રાણી ભક્તિભાવવાળાં અને ડાહ્યાં પણ હતાં. તેઓ ભગવાનના પગે પડયાં, કરગર્યાં. પતિના બોલવા વિશે તેમણે માફી માગી ઃ હે ભગવાન, મારા પતિએ તમારું જ તમને અર્પણ કર્યું છે. તેમની ભૂલ થઈ છે. તેમને બાંધશો નહીં. બલિરાજા ગભરાયેલા હતા.

વિંધ્યાવલી રાણીએ પતિને કહ્યું ઃ ભગવાનના જમણા ચરણમાં તમે વંદન કરો. ડાબા ચરણમાં હું વંદન કરું છું. તે પછી ભગવાનને કહો કે તમારો એક પગ બાકી છે તે મારા માથા પર મૂકો. આટલું જ હવે મારી પાસે છે, તેમ કહો.”

રાણી વિંધ્યાવલીના સત્સંગમાં બલિરાજાનું અભિમાન ઊતરી ગયું. બલિરાજાએ કહ્યું, “પ્રભુ હું કેવળ વંદન કરું છે. આપ જગતમાં જે કાંઈ છે તેના માલિક આપ છો. આપને કોઈ દાન આપી શકે ? મારી ભૂલ થઈ. હવે એક પગલું બાકી છે તે મારા માથા પર પધરાવો.”ળ

ભગવાન વામનજીએ બલિરાજાના મસ્તક પર પગલું મૂક્યું. ભગવાન રાજી થયા. રાજા હવે દીન-ગરીબ થઈ ગયો હતો. ભગવાને કહ્યું, “હે રાજન, સ્વર્ગનું રાજ મેં દેવોને આપ્યું છે. પાતાળનું રાજ હું તમને આપું છું. તમે પાતાળમાં રાજ કરો. તમે મને તમારું સર્વસ્વ આપ્યું છે. બીજું શું જોઈએ છે ?”

બલિરાજાએ કહ્યું, “પ્રભુ, આપે મારે ઘરે દ્વારપાળ બનવું પડશે.” ભગવાને હસીને હા પાડી.

બલિરાજા પાતાળમાં ગયા. ભગવાને તેમના દ્વાર પર સૈનિક બની પહેરો ભરવા માંડયો. બલિરાજા હવે પ્રત્યેક દ્વારમાં ભગવાન ચતુર્ભુજનાં દર્શન કરવા લાગ્યા. વૈકુંઠમાં લક્ષ્મીજી હવે એકલા પડયાં. ઘણાં દિવસથી નારાયણને તેમણે જોયા નહીં એટલે નારદને પૂછયું ત્યારે ખબર પડી કે ભગવાન તો બલિરાજાને ત્યાં દાન લેવા ગયા હતા અને ખુદ બંધનમાં આવી જઈ બલિરાજાના દ્વારે પહેરો ભરે છે. બલિરાજા તેમને રજા આપે તો જ તેઓ ઘરે પાછા પધારશે.”

માતા મહાલક્ષ્મીએ લીલા કરી. તેમને ભગવાન વગર જરાયે ગમતું નહોતું. તેમણે બ્રાહ્મણની પત્નીનો વેશ ધારણ કર્યો. બહુ સાદો શૃંગાર કર્યો. લક્ષ્મીજી બલિના દરબારમાં આવ્યાં. બલિરાજા લક્ષ્મીજીને ઓળખી શક્યા નહીં. તેમણે વિનયથી પૂછયું, “તમે કોણ છો? કેમ આવ્યાં છો ?”

લક્ષ્મીજીએ બ્રાહ્મણ મહિલાના સ્વાંગમાં કહ્યું, “હે રાજન ! હું બ્રાહ્મણની પત્ની છું. મારે માતા-પિતા નથી, ભાઈ નથી. પિયરમાં જવાની ઇચ્છા થાય છે, પણ ક્યાં જાઉં ? મેં સાંભળ્યું છે કે, બલિરાજાને કોઈ બહેન નથી. હું તમારી ધર્મની બહેન થવા આવી છું. તમે મારા ધર્મના ભાઈ થાવ.”

બલિરાજાએ તરત જ વંદન કરીને કહ્યું, “આજથી તમે મારાં મોટાં બહેન અને હું તમારો નાનો ભાઈ. બસ, મારા ઘરને તમે પિયર સમજો. તમે ઇચ્છા થાય ત્યાં સુધી અહીં રહેજો.”

લક્ષ્મીજી બલિરાજાના રાજમાં રહેવા આવ્યાં. આખું ગામ સુખી થઈ ગયું. કોઈ ગરીબ રહ્યું જ નહીં. કોઈ રોગી પણ ના રહ્યું. ઝઘડા પણ ખતમ. બલિરાજાને થયું કે આ મોટીબહેન આવ્યાં ત્યારથી હું સુખી થયો. મારા ગામમાં બધા જ લોકો સુખી થઈ ગયા. બધાના ચહેરા પર આનંદ છે, પરંતુ આ બહેનના ચહેરા પર આનંદ નથી. શ્રાવણની ર્પૂિણમા હતી. લક્ષ્મીજીએ બલિરાજાને કહ્યું, “ભાઈ, આજે રક્ષાબંધન છે. હું તમને રાખડી બાંધીશ.”

બલિરાજાએ ખુશ થઈ રાખડી બંધાવી. બલિરાજાએ કહ્યું, “બહેન ! તમે અહીં આવ્યાં તે પછી મારું આખું ગામ સુખી થયું છે. બધાના ચહેરા પર આનંદ છે. તમારા ઘરમાં જે કાંઈ ખૂટતું હોય તે માગો.”

લક્ષ્મીજીએ કહ્યું, “મારા ઘરમાં બધું છે પણ એક નથી.”

“શું ?”

“ભાઈ, તમારા દ્વાર પર જે પહેરો ભરે છે તેમને કાયમી રજા આપો.”

બલિરાજાએ પૂછયું, “બહેન, મારા દ્વારે પહેરો ભરે છે તે તમારા કોઈ સગાં થાય છે ? ચાલો ઠીક ! મેં વચન આપ્યું છે માટે હું મુક્ત તો કરી જ દઈશ.”

અને તરત જ સાક્ષાત્ ચતુર્ભુજ દેવ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. બલિરાજાને પણ આનંદ થયો અને લક્ષ્મીજીએ પોતાનું અસલી રૂપ પ્રગટ કરી ભગવાનની પૂજા કરી. તે પછી ભગવાને બલિરાજાના બંધનમાંથી મુક્ત કરાવી વૈકુંઠધામમાં લઈ ગયા.

ભગવાનના વામન અવતારની અનેક કથાઓ પૈકીની આ કથા હૃદયંગમ છે. ભગવાનને લક્ષ્મીજી વગર ચાલતું હતું, પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ચાલતું નહોતું. દીપોત્સવીના આ દિવસે લક્ષ્મીપૂજનના પણ દિવસો છે ત્યારે એક વાત યાદ રાખજો કે જે લોકો ધનવાન છે અને મનમાં “હું બહુ મોટો છું તેવું અભિમાન કરે છે તેને ભગવાન માફ કરતા નથી.લક્ષ્મી મારી નથી, પરંતુ તે લક્ષ્મીનારાયણની છે.” તેવો ભાવ રાખનારને લક્ષ્મીજી કોઈ દિવસ નારાયણની ગોદમાં પણ બેસાડે છે. લક્ષ્મીના માલિક થવાના બદલે તેને માતા તરીકે સ્વીકારો અને સૂક્ષ્મ અભિમાનનો ત્યાગ કરો. એ વાત સાચી છે કે, દુનિયાનું દરેક સુખ લક્ષ્મીની સાથે જ જોડાયેલું છે, પરંતુ લક્ષ્મીનાં અનેક સ્વરૂપ છે. લક્ષ્મી ધનધાન્યની દેવી, સંસારની પાલનહારી સદૈવ ભગવાન વિષ્ણુની નિકટ નિવાસ કરનાર નારાયણનાં અર્ધાંગિની પણ છે. લક્ષ્મીનું બીજું નામ સ્ત્રી પણ છે. લક્ષ્મીનો સહજ અર્થ છે સુલક્ષણવાળી. દીપાવલિના દિવસોમાં મહાલક્ષ્મીના પૂજનની સાથે સાથે તમારા ઘરમાં જે સાક્ષાત્ લક્ષ્મી છે તેનું   સન્માન કરો. કજિયાવાળા ઘરમાં દેવી મહાલક્ષ્મી ટકતાં નથી.

સૌને દીપાવલિની શુભકામના.
– દેવેન્દ્ર પટેલ

In the https://justdomyhomework.com/ age of viral videos and mark zuckerberg, it`s easy to see instant success stories and overlook all the years of sweat behind them.

દેવતા Zeusએ Heraને જોઇ અને કોયલ બની શયનખંડમાં ગયા (અભિજ્ઞાાનશાકુન્તલમ્)

આ એક અતિ પ્રાચીન ગ્રીક દંતકથા છે.

પ્રાચીન ગ્રીક પ્રજાના એક દેવતા ZEUS (જ્યૂસ) છે. તેઓ દેવતાઓના અને માનવીઓના પિતા પણ ગણાતા હતા. જ્યૂસ માઉન્ટ ઓલમ્પસના ઓલિમ્પિયન્સ લોકો પર શાસન કરતા હતા. તેઓ આકાશ અને વીજળીના દેવતા પણ ગણાતા રહ્યા છે. જ્યૂસ ક્રોનસ અને રિયાના પુત્ર હતા. તેઓ હેરા નામની સ્ત્રી સાથે પરણ્યા હતા. તેઓ દેવી એફ્રોદિતિના પણ પિતા ગણાયા છે. ગ્રીક માઇથોલોજી પ્રમાણે તેઓ ગ્રીક દેવતાઓના પિતા ગણાય છે.

 

જ્યૂસના પિતા ક્રોનસને કોઈએ એવી ભવિષ્યવાણી સંભળાવી હતી કે તેમનો જ પુત્ર તેમને સિંહાસન પરથી ઊથલાવી દેશે. આ કારણથી તે રિયાથી થયેલાં કેટલાંક સંતાનોને ગળી ગયો હતો, પરંતુ રિયાએ જ્યૂસને જન્મતાં જ છુપાવી દીધા હતા અને એક કપડામાં પથ્થરનો ટુકડો મૂકી આ તાજું જન્મેલું બાળક છે એમ કહી ક્રોનસને સોંપ્યું હતું, જેને ક્રોનસ ગળી ગયો હતો. તે પછી અસલી બાળક જ્યૂસને એક ગુફામાં છુપાવી દેવાયા હતા. તેમનો ઉછેર અમેલ્થિયા નામની એક બકરીએ કર્યો હતો. બીજી એક કથા પ્રમાણે તેમનો ઉછેર સિનોસુરા નામની એક કમનીય સ્ત્રીએ કર્યો હતો. એના બદલામાં જ્યૂસે તેને આકાશમાં તારાનું સ્થાન આપ્યું હતું.

વયસ્ક થયા બાદ જ્યૂસે તેના પિતાના પેટમાં રહેલા તેનાં ભાઈ-બહેનોને પેટ ચીરીને બહાર કાઢયાં હતાં. તે પછી તેણે ટાઇટન્સ સાથે યુદ્ધ કરી વિશ્વની સત્તા હાંસલ કરી હતી. તેણે આકાશ અને હવા પોતાની પાસે રાખ્યાં જ્યારે તેના ભાઈ પોસાઇડોનને સમુદ્ર-પાણી અને હેડ્સને અંડરવર્લ્ડ (ધી વર્લ્ડ ઓફ ડેડ) આપ્યાં હતાં.

જ્યૂસના પિતા ક્રોનસ અને માતા રિયાથી થયેલી સૌથી મોટી પુત્રીનું નામ હેરા હતું. હેરા જ્યૂસની બહેન હતી પણ તેનો ઉછેર અલગ જગાએ થયો હતો. કહેવાય છે કે ક્રોનસ બીજાં બાળકોની જેમ હેરાને પણ ગળી ગયો હતો, પરંતુ પાછળથી પિતાના પેટમાંથી તેને પણ મુક્ત કરાવવામાં આવી હતી. હેરાને ગ્રીક લોકો સ્ત્રીઓ અને લગ્નની દેવી માનતા હતા. કુંવારિકાઓ પણ તેની પૂજા કરતી હતી.

દેવતાઓના દેવ ગણાતા જ્યૂસે પોતાની સગી બહેન હેરા સાથે લગ્ન કર્યું હતું. એક દિવસ જ્યૂસ હેસ્પેરાઇડ્સના બગીચામાં લટાર મારી રહ્યા હતા ત્યારે તેમણે અચાનક હેરાને જોઈ. હેરાને જોતાં જ જ્યૂસ તેમના પ્રેમમાં પડી ગયા. હેરા સુધી પહોંચવા માટે જ્યૂસે પોતાની જાતને કોયલમાં રૂપાંતરિત કરી નાખી અને તેઓ હેરાના શયનખંડની બારીમાં જઈ બેસી ગયા. દેખાવ એવો કર્યો કે બહાર ખૂબ ઠંડી હોવાથી તે કોયલ ઠૂંઠવાઈ ગઈ છે. હેરાએ ઠંડીથી ઠરી ગયેલા પક્ષીને જોયું અને દયા આવતાં એણે એ પક્ષીને હાથમાં પકડી અંદરના ખંડમાં લઈ આવી. એક વાર અંદર આવી ગયા બાદ જ્યૂસ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા અને હેરા સાથે પ્રણયક્રીડા આદરી. હેરાને આલિંગન આપી, તેને બાથમાં પકડી એક પર્વત પર લઈ આવ્યા. અહીં તેમણે હેરાને કાયદેસર પત્ની બનાવી દીધી જેથી હેરાને શરમિંદગી અનુભવવી ન પડે. જ્યૂસ અને હેરાનું લગ્ન પણ ગાર્ડન ઓફ હેસ્પેરાઇડ્સ ખાતે જ થયું. આ લગ્નની ઉજવણી ભવ્ય રીતે કરાઈ. કેટલાંયે બલિદાનો કરાયાં. હેરાને ભવ્ય પોશાક ભેટ અપાયો અને જ્યૂસની બાજુમાં જ સોનાના સિંહાસન પર સ્થાન અપાયું. દરેક દેવી-દેવતાએ કોઈ ને કોઈ ભેટસોગાદો આપી. પૃથ્વીની દેવી ગણાતી ગાઈએ હેરાને સોનાનાં સફરજન આપતું વૃક્ષ ભેટ આપ્યું. હેરા ખુશ થઈ અને તે વૃક્ષ સમુદ્રકિનારે તેના બગીચામાં રોપ્યું.

લગ્ન બાદ હેરા અને જ્યૂસ સમોસ નામના ગ્રીક ટાપુ પર હનીમૂન માટે ગયાં. આ હનીમૂન ૩૦૦ વર્ષ ચાલ્યું. અલબત્ત, હેરા તેના ઈર્ષાળુ અને બદલાની ભાવનાવાળી પ્રકૃતિ માટે જાણીતી હતી. ખાસ કરીને જ્યૂસ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડે તો તેને ગમતું નહીં.

હેરાને સ્ત્રીઓ અને લગ્નની દેવી ઉપરાંત ‘ઓલિમ્પિયન ક્વીન ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ’ પણ કહેવાય છે. તેને આકાશ અને સ્વર્ગની દેવી તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તે અત્યંત સુંદર હતી. તેના વિશે બીજી ઘણી દંતકથાઓ પણ છે. સૃષ્ટિની સહુથી વધુ સુંદર દેવીઓની સ્પર્ધામાં તેણે દેવી એફ્રોદિતિ અને એથેના સાથે સ્પર્ધા કરી હતી. તેમાં એફ્રોદિતિ વિજયી બનતાં એ ચુકાદો આપનાર પેરિસ સાથે બદલો લેવા તેણે પેરિસ અને તેના પિતા સામેના ગ્રીકોના યુદ્ધમાં ગ્રીકોને મદદ કરી હતી અને ટ્રોયનું પતન થયું હતું. ગ્રીસના અર્ગોસ અને સમોસ પ્રાંતમાં તેની પૂજા થતી હતી.

હેરા માટે જ દંતકથાઓ જાણીતી છે તેમાં એક દંતકથા એવી છે કે હેરાના રથને મોર ખેંચતા હતા. મહાકવિ હોમરે તેને ‘Coe-eyes’સ્ત્રી તરીકે વર્ણવી છે. તે આમ તો લગ્નની દેવી ગણાતી હતી, પરંતુ તે સ્વયં એક નોંધપાત્ર અને સારી માતા ગણાઈ નથી. તેણે જ્યૂસથી જે સંતાનો આપ્યાં તેમાં ‘એરેસ’ નામનો પુત્ર યુદ્ધનો દેવતા ગણાયો છે. ‘હેલી’ નામની પુત્રી યૌવનની દેવી ગણાઈ છે. જ્યારે એરિસ નામની પુત્રી કુસંપ અને વેરઝેરની દેવી ગણાઈ છે. ‘એલિથિયા નામની પુત્રી બાળકોના જન્મની દેવી ગણવામાં આવી છે. આ સિવાય હેરાએ બીજાઓથી થયેલાં સંતાનોને પણ જન્મ આપ્યો હતો. જે રીતે તેના પતિ જ્યૂસે બીજી દેવીથી એથેનાને જન્મ આપ્યો હતો તેથી ઈર્ષા અનુભવી દેવી હેરાએ પણ જ્યૂસથી નહીં એવા ‘હેફેસ્ટ્સ’ નામના અપંગ અને કદરૂપા પુત્રને જન્મ આપ્યો હતો. જન્મેલું બાળક કઢંગું હોઈ હેરાએ તેને માઉન્ટ ઓલમ્પસ પરથી નીચે ફેંકી દીધો હતો. આ વાતનો બદલો પાછળથી તેના કદરૂપા પુત્રએ લીધો હતો. હેરા જે જાદુઈ સિંહાસન પર બેસતી હતી ત્યાંથી તે ઊભી જ ન થઈ શકે તેવી સજા કરી હતી. બીજાં દેવી-દેવતાઓએ દરમિયાનગીરી કરવી પડી હતી. વિકૃત દેહવાળા હેફેસ્ટ્સને દેવી એફ્રોદિતિ પત્ની તરીકે આપવામાં આવી તે પછી જ તેણે તેની માતા હેરાને મુક્ત કરી હતી.

હેરા હેરાક્લિસ નામના પુત્રની ઓરમાન માતા પણ હતી. એ જમાનાની ગ્રીક ઓલિમ્પિકનો તે હીરો હતો. એલ્કેમની નામની સ્ત્રીના ઉદરમાં હેરાકલ્સ હતો ત્યારે તેના જન્મને રોકી રાખવા હેરાએ હેરાક્લિસની માતાના બે પગ બાંધી દીધા હતા. અલબત્ત, એક દાસીએ હેરાના એ કાવતરાને નિષ્ફળ બનાવતાં હેરાએ તેને શાપ આપી પ્રાણીમાં રૂપાંતરિત કરી દીધી હતી. હેરાક્લિસ હજુ નાનો બાળક હતો ત્યારે પણ હેરાએ બે સાપ તેના પલંગમાં મુકાવી દીધા હતા. બાળક બંને સાપ હાથમાં પકડી સર્પો સાથે રમવા માંડયું હતું. એક દાસી આ દૃશ્ય જોઈ ગઈ હતી, પણ બાળક દૈવી હોઈ તેને કંઈ થયું નહોતું. આ દૃશ્યનાં અનેક પેઇન્ટિંગ્સ પાછળથી દોરવામાં આવ્યાં હતાં. હેરાક્લિસને ખતમ કરવા હેરાએ બીજાં અનેક ષડ્યંત્રો રચ્યાં હતાં, પરંતુ હેરાક્લિસ વધુ ને વધુ શક્તિશાળી બનીને બહાર આવ્યો હતો. અલબત્ત, પાછળથી એક સમયે ર્પોિફરિયોન નામના રાક્ષસી વ્યક્તિએ હેરા પર બળાત્કાર કરવાની કોશિશ કરી ત્યારે હેરાક્લિસે જ તેને બચાવી હતી. તે પછી બંને મિત્રો બની ગયાં હતાં અને તેના બદલામાં હેરાએ ‘હેલી’ નામની પુત્રી હેરાક્લિસને તેની પત્ની તરીકે આપી હતી.

ગ્રીસની પ્રાચીન સંસ્કૃતિમાં આવતાં દેવી-દેવતાઓનું પૌરાણિક સાહિત્યમાં એક આગવું સ્થાન છે અને વિશ્વભરના સાહિત્યકારોએ દરેક દેવી-દેવતાઓ પર વિસ્તૃત સંશોધનો કરેલાં છે.

મહાકવિ હોમરે હેરાને ઈર્ષાળુ અને ઝઘડાખોર સ્ત્રી તરીકે વધુ વર્ણવી છે. જ્યૂસ અને હેરા વચ્ચે પણ અનેક વાર ઝઘડા થતા હતા. જ્યૂસે કેટલીક વાર તેને માર પણ માર્યો હતો અને તેના હાથમાં સાંકળો બાંધીને વાદળોમાં લટકાવી પણ દીધી હતી. જ્યૂસ ગુસ્સામાં હોય ત્યારે હેરા તેના શરણે થઈ જતી અને ક્યારેક કાવતરાં પણ કરતી. અલબત્ત, જ્યૂસને પ્રણયમસ્ત કરવા ક્યારેક તેના રૂપ અને સૌંદર્યનો ભરપૂર ઉપયોગ કરી. જ્યૂસના કારણે તે ત્રણ સંતાનોની માતા પણ બની હતી. પૃથ્વી પર તેનાં પ્રિય સ્થળો આર્ગોસ, સ્પાર્ટા અને મિસેનાઈ હતાં. મહાકાવ્ય ‘ઇલિયડ’માં તે ગ્રીકોની સમર્થક હતી જ્યારે ‘ઓડિસી’માં તે જેસનની સમર્થક હતી. ગ્રીકમાં હેરાનાં ઘણાં મંદિરો હતાં અને પ્રાચીન ગ્રીકના લોકો તેની પૂજા પણ કરતા હતા. ગ્રીસમાં ઘણી જગાએ હેરાનાં પુરાણા મંદિરના અવશેષો છે. હેરા હંમેશાં તેના મસ્તક પર તાજ પહેરતી. ઘણાં તેને તારાઓની દેવી પણ કહે છે. કેટલાક તેને ચંદ્રમાની દેવી પણ કહે છે. આધુનિક લેખકો તેને પ્રકૃતિની દેવી કહે છે.

હેરા એના સુંદર કપાળ અને વિસ્ફારિત વિશાળ આંખો માટે જાણીતી હતી. ગ્રીસમાં અનેક સ્થળે હેરાના મસ્તકનાં બાવલાં આજે પણ જોવા મળે છે. હેરાનું એક મંદિર ઈ.સ. પૂર્વે ૮૦૦માં ગ્રીસના સમોસ ખાતે બાંધવામાં આવ્યું હતું. તેના અવશેષો વિશાળ થાંભલા રૂપે આજે પણ ગ્રીસમાં મોજૂદ છે.

You are what you eat the dissertation writing help freshman fifteen.

Powered by WordPress & Theme by Anders Norén