Devendra Patel

Journalist and Author

Date: October 12, 2014

તમારો પુત્ર પિતાની હત્યા કરશે અને માતા સાથે લગ્ન કરશે

ઇડિપસ એક ગ્રીક માયથોલોજી છે. પૌરાણિક ગ્રીક રાજાના જીવનની કરુણતમ ઘટનાની કહાણી છે. આ ટ્રેજેડી સોફોક્લિસ નામના ગ્રીક લેખકની નાટયકૃતિ છે. કથાનો મુખ્ય નાયક ઇડિપસ છે. ‘ઇડિપસ’નો અર્થ ‘સૂજી ગયેલા પગ’.’ઇડિપસ’ થીબ્સ નામના એક ગ્રીક રાજ્યના રાજા લાયસ અને ક્વીન જોકાસ્ટાનો પુત્ર હતો. લાયસ-જોકાસ્ટાનાં લગ્નના ઘણા સમય સુધી સંતાનપ્રાપ્તિ થઈ નહોતી. રાજા લાયસે એપોલો મંદિરના એક ભવિષ્યવેત્તાને સંતાનપ્રાપ્તિ માટે પૂછપરછ કરી. ભવિષ્યવેત્તાએ કહ્યું, “તમારાં રાણીને જે સંતાન થશે તે તેના પિતાની એટલે કે તમારી હત્યા કરી નાખશે અને તેની માતા સાથે લગ્ન કરશે.”આ ભવિષ્યવાણીને ખોટી પાડવા રાણીએ સગર્ભા બનવાનું અને બાળકને જન્મ આપવાનું પસંદ કર્યું. બાળકનો જન્મ થતાં જ તેના બંને પગ સખત રીતે બાંધી દેવામાં આવ્યા, જેથી બાળક બે હાથ અને બે પગે ચાલી જ શકે નહીં. એ પછી એ તાજા જન્મેલા બાળકને નજીકના પર્વત પર ત્યજી દેવાનું કામ મહેલના એક સેવકને સોંપવામાં આવ્યું. રાજાને હતું કે, બાળકના બંને ઘૂંટણ સખતાઈપૂર્વક બાંધેલા હોઈ તે ચાલી શકશે નહીં અને મૃત્યુ પામશે. નોકરને દયા આવતાં બાળક પર્વત પર ત્યજી દેવાને બદલે તેણે કોરિન્થ નામના બીજા એક ગ્રીક રાજ્યમાં રહેતા ભરવાડને આપી દીધું. એ ભરવાડે એ બાળક બીજા એક ભરવાડને આપ્યું. એમ કરતાં કરતાં બાળક કોરિન્થના રાજા પોલિબસ અને ક્વીન મેરોયી પાસે પહોંચ્યું. કોરિન્થનો આ રાજા નિઃસંતાન હતો. તેણે આ નાનકડા બાળકને દત્તક લીધું. બાળકના બંને પગ સખતાઈપૂર્વક બાંધી દેવાયેલા હોઈ તેના બંને પગ સૂજી ગયા હતા, તેથી બાળકને ‘ઇડિપસ’ નામ અપાયું.

ઇડિપસ હવે કોરિન્થ રાજ્યના રાજકુમાર તરીકે મોટો થવા લાગ્યો. એક વાર તેના એક મિત્રએ શરાબના નશામાં તેને કહી દીધું, “તું કોરિન્થના રાજા અને રાણીનો પુત્ર છે જ નહીં. તું તો દત્તક લેવાયેલો પુત્ર છે.” આ સાંભળ્યા બાદ ઇડિપસ વિક્ષુબ્ધ થઈ ગયો. તે સીધો જ કોરિન્થના રાજા પોલિબસ પાસે ગયો અને પૂછયું, “શું એ વાત સાચી છે કે તમે મારાં અસલી માતા-પિતા નથી?”

રાજા પોલિબસ અને ક્વીન મેરોયીએ કહ્યું, “તને જે કોઈએ આ વાત કહી છે તે ખોટી છે. તું અમારું જ સંતાન છે.” પણ ઇડિપસને એમના ખુલાસાથી સંતોષ ન થયો. ઇડિપસે હવે ડેલ્ફીના એપોલો મંદિરના એ જ ભવિષ્યવેત્તાનો સંપર્ક સાધ્યો. એ ભવિષ્યવેત્તાનું નામ ટાયરેસિયસ હતું. ટાયરેસિયસ અંધ હતો. તેણે ઇડિપસને એટલું જણાવ્યું કે, “તારા નસીબમાં તારા જ હાથે પિતાનું મૃત્યુ લખાયું છે અને તે પછી તું તારી માતા સાથે લગ્ન કરીશ એમ પણ લખાયું છે.”

આ ભવિષ્યવાણી ખોટી પાડવા ઇડિપસે કોરિન્થ પાછા જવાનું માંડી વાળ્યું, કારણ કે હજુ તેના મનમાં એ જ હતું કે કોરિન્થના રાજા અને રાણી જ તેનાં પિતા અને માતા છે. ભૂલથી પણ તેમની હત્યા થઈ જાય તો! એ વિચાર સાથે ઇડિપસ તેનો રથ લઈ ડેલ્ફી રાજ્યની નજીક આવેલા થીબ્સ તરફ જવા રવાના થયો. રસ્તામાં એક સ્થળે ત્રણ રસ્તા આવતા હતા. એક તરફથી એક વ્યક્તિ રથ લઈને એ જ રસ્તે જવા માગતી હતી. એ વખતે પહેલા કોનો રથ આગળના રસ્તે જાય તે મુદ્દા પર બેઉ વચ્ચે ઝઘડો થયો અને યુવાન ઇડિપસે બીજા રથ પર સવાર થયેલી વ્યક્તિની સ્વરક્ષણ માટે હત્યા કરી નાખી. ઇડિપસને એ વખતે ખબર નહોતી કે અજાણતાં જ તેણે જેની હત્યા કરી છે, તે અસલમાં તેના પિતા અને થીબ્સના રાજા લાયસ હતા. આ ઘટનાનો સાક્ષી રાજા લાયસનો એકમાત્ર વફાદાર ગુલામ હતો અને તે ગભરાઈને ત્યાંથી ભાગી ગયો. ભવિષ્યવેત્તાની પહેલી ભવિષ્યવાણી સાચી પડી, પરંતુ ઇડિપસ એનાથી અજાણ હતો.

આ ઘટના બાદ ઇડિપસે રથમાં જ તેનો થીબ્સ જવાનો પ્રયાસ જારી રાખ્યો. રસ્તામાં સ્ફિન્ક્સ તરીકે ઓળખાતું એક પ્રાણી રહેતું હતું અને તે તમામ વટેમાર્ગુ ને પ્રવાસીઓને હેરાન કરતું હતું. સ્ફિન્ક્સ એક પ્રકારનું રાક્ષસી પ્રાણી હતું, જેનો ચહેરો સ્ત્રી જેવો પણ બાકીનો દેહ સિંહનો હતો. આ રસ્તા પરથી પસાર થતી દરેક વ્યક્તિને તે ઉખાણું પૂછતું અને જે તેનો જવાબ આપી ન શકે તેને મારીને તે ખાઈ જતું. જે સાચો જવાબ આપે તેને તે જવા દેતું. સ્ફિન્ક્સે ઇડિપસને રોક્યો અને એક ઉખાણું પૂછયું, “એવું કયું પ્રાણી છે, જે સવારે ચાર પગે ચાલે છે, બપોરે બે પગે ચાલે છે અને સાંજે ત્રણ પગે ચાલે છે?”

ઇડિપસે તરત જ જવાબ આપ્યો, “માણસ, જે જન્મે છે ત્યારે શરૂઆતમાં બે હાથ અને બે પગથી ફર્શ પર ચાલે છે. યુવાનીમાં તે બે પગે ચાલે છે અને વૃદ્ધ થાય છે ત્યારે લાકડીનો સહારો લે છે, તેથી જીવનની સાંજે ત્રણ પગે ચાલે છે.”

આ જવાબ સાંભળી સ્ફિન્ક્સે સંતોષ વ્યક્ત કર્યો પછી તેણે દરિયામાં ડૂબી જઈને આત્મહત્યા કરી લીધી અને એ રીતે થીબ્સના લોકોને સ્ફિન્ક્સના ત્રાસમાંથી મુક્તિ મળી. એ વખતે થીબ્સના મૃત્યુ પામેલા રાજાની પત્નીના ભાઈ ક્રિયોને એવી જાહેરાત કરેલી હતી કે, “જે કોઈ વ્યક્તિ થીબ્સના લોકોને સ્ફિન્ક્સના ત્રાસમાંથી મુક્તિ અપાવશે તેને થીબ્સનો રાજા ઘોષિત કરાશે અને હમણાં જ વિધવા થયેલાં રાણી જોકાસ્ટાનો હાથ પણ તેને સોંપાશે.” એટલે થીબ્સના લોકોએ સ્ફિન્ક્સના ત્રાસમાંથી મુક્તિ અપાવનાર ઇડિપસને થીબ્સનો રાજા ઘોષિત કરી દીધો અને વિધવા થયેલી ક્વીન જોકાસ્ટાને ઇડિપસ સાથે પરણાવી દીધી. ઇડિપસ અજાણતાં જ તેની માતાને પરણ્યો. આ રીતે ભવિષ્યવેત્તાની બીજી ભવિષ્યવાણી પણ સાચી પડી.

ઇડિપસ અને જોકાસ્ટાનાં લગ્નનાં ઘણાં વર્ષો બાદ થીબ્સ પર આફતના ઓળા ઊતર્યા. ભયંકર દુષ્કાળ પડયો. ખેતરોમાં અનાજ ઊગવાનું બંધ થઈ ગયું. વૃક્ષોએ નવાં પર્ણો આપવાનું બંધ કરી દીધું. સ્ત્રીઓ ગર્ભવતી થતી બંધ થઈ ગઈ. થીબ્સમાં ‘પ્લેગ ઓફ ઇર્ન્ફિટલિટી’ની આપત્તિ ઊભી થઈ. પશુઓએ પણ વાછરડાં કે બચ્ચાં આપવાનું બંધ કરી દીધું. થીબ્સનો રાજા બનેલો ઇડિપસ ચિંતામાં પડયો. એણે ક્વીન જોકાસ્ટાના ભાઈ ક્રિયોનને ડેલ્ફીના એપોલો મંદિરના પૂજારી પાસે આ ભયંકર આફતનું કારણ જાણવા મોકલ્યો. ક્રિયોને પાછા આવીને કહ્યું કે થીબ્સના અગાઉના રાજા લાયસની હત્યા કરનાર વ્યક્તિને પાઠ ભણાવવા કુદરત આમ કરી હતી છે. ઇડિપસે તેની પત્ની અર્થાત્ તેની માતા જોકાસ્ટાને કહ્યું, “રાજા લાયસનો હત્યારો જે દિવસે મળી આવશે તે જ દિવસે તેને હું દેશનિકાલ કરી દઈશ.”

ઇડિપસે હવે સચોટ આગાહી કરવા માટે જાણીતા અંધ મહાત્મા ટાઇરેસિઅસની શોધ આદરી. ક્રિયોને ટાઇરેસિઅસને શોધી કાઢયો. ટાઇરેસિઅસે રાજા લાયસના હત્યારાની શોધ નહીં કરવા ચેતવણી આપી. ક્રિયોન અને ભવિષ્યવેત્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા ટાઇરેસિઅસે કહી દીધું, “તારે જાણવું જ છે તે! તો જાણી લે કે થીબ્સના રાજા કિંગ લાયસનો હત્યારો ખુદ ઇડિપસ છે અને ઇડિપસ ખુદ તેનાં માતા-પિતા કોણ છે તે જાણતો નથી અને શરમજનક જિંદગી જીવી રહ્યો છે.”

ક્રિયોને આ વાત રાજા ઇડિપસને કરી તો ઇડિપસ ખિજાયો અને કહ્યું, “તું ખોટી રીતે મારી પર રાજા લાયસની હત્યાનો આરોપ મૂકી રહ્યો છે.”

આ ઉગ્ર ચર્ચા વખતે જ રાણી જોકાસ્ટાએ પ્રવેશ કર્યો અને ઇડિપસને શાંત પાડતાં કહ્યું, “મારે જે પહેલું સંતાન અવતર્યું હતું તેેને અમે મારી નાખવા માટે પગ બાંધીને પર્વત પર છોડી દીધું હતું.”

આ વાત સાંભળી ઇડિપસ ઢીલો પડી ગયો. એને લાગ્યું કે, “રાજા લાયસની હત્યા કદાચ મારા હાથે જ થઈ હોવી જોઈએ.” એવામાં સમાચાર આવ્યા કે કોરિન્થના રાજા પોલિબસનું મૃત્યુ થયું છે. જોકે, ઇડિપસ હજુ રાજા પોલિબસને જ પોતાના પિતા સમજતો હતો. રાજા પોલિબસનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાથી ભવિષ્યવાણી ખોટી પડી રહી છે એવો પણ ખ્યાલ તેને આવ્યો. ઇડિપસે રાજા પોલિબસના અંતિમ સંસ્કારની વિધિ વખતે હાજરી આપવા ઇન્કાર કર્યો ત્યારે કોરિન્થથી આવેલા સંદેશવાહકે સ્પષ્ટતા કરી, “રાજા ઇડિપસ! સાચી વાત એ છે કે તમે રાજા પોલિબસના અસલી નહીં દત્તક પુત્ર છો. તમે તો એક પર્વત પરથી મળી આવેલા અનાથ બાળક હતા.”

રાણી જોકાસ્ટાને ખ્યાલ આવી ગયો કે, ઇડિપસ કે જે હાલ તેનો પતિ છે તે હકીકતમાં તેનું જ સંતાન છે. રાણી જોકાસ્ટાએ ઇડિપસને રાજા લાયસના હત્યારાની શોધ ન કરવા જણાવ્યું. છતાં ઇડિપસે એ વ્યક્તિને બોલાવી જેને પોતાને નાની વયમાં જ પર્વત પર મૂકી આવવાની જવાબદારી સોંપી હતી. મહેલના ગુલામે બધી વાત ઉઘાડી કરી નાખી. રાણી જોકાસ્ટાને ખ્યાલ આવી ગયો કે જેને તે પરણી છે અને જેનાથી તે ત્રણ સંતાનોની માતા બની છે તે ઇડિપસ તેનો જ પુત્ર છે. આ આઘાત સહન ન થતાં ક્વીન જોકાસ્ટાએ પોતાના શયનખંડમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

રાજા ઇડિપસને ખ્યાલ આવી ગયો કે અજાણતાં જ એણે પિતાની હત્યા કરી હતી અને ખુદની જ માતા સાથે પરણ્યો હતો. આ ભયંકર અપરાધના કારણે જ ઈશ્વર થીબ્સ પર રૂઠયો હતો અને થીબ્સ પર ભયંકર આફતના ઓળા ઊતર્યા હતા.

ઇડિપસ રાણી જોકાસ્ટાને મળવા ગયો પણ રાણીએ આત્મહત્યા કરી લીધી હતી. ઇડિપસે રાણી જોકાસ્ટાનાં વસ્ત્રોમાંથી એક અણીદાર પીન ખેંચી કાઢી અને એ પીન પોતાની આંખોમાં ઘોંચી જાતે જ પોતાની આંખો ફોડી નાખી. પશ્ચાત્તાપ માટે એણે પીડા ભોગવવાનું નક્કી કરી લીધું. આંખો ફોડી નાખ્યા બાદ એણે જાતે જ પોતાની જાતને દેશનિકાલ કરી દીધી. એણે અગાઉ પણ કહ્યું હતું કે, “રાજા લાયસની હત્યા કરનારને તે દેશનિકાલ કરી દેશે.”

અંધ બની ગયા બાદ ઇડિપસ તેની પુત્રી એન્ટીગોનના ખભે હાથ મૂકી ઠેરઠેર ભટકવા લાગ્યો. ભારે પશ્ચાત્તાપ સાથે દુઃખ અનુભવતો ઇડિપસ પુત્રીના સહારે એથેન્સ પહોંચ્યો. એથેન્સના રાજા થેલિયસે તેને આશ્રય આપ્યો, પરંતુ ખૂબ જ દુઃખી હાલતમાં તે મૃત્યુ પામ્યો. તેના કેટલાક સમય બાદ ઇડિપસના બે પુત્રોએ થીબ્સ પર રાજ કરવા માટે નક્કી થયેલી શરતોનો ભંગ થતાં લડાઈ કરી અને લોહિયાળ જંગમાં બંને ભાઈઓએ એકબીજાની હત્યા કરી નાખી.

અલબત્ત, દંતકથા એવી છે કે ઇડિપસ મૃત્યુ પામ્યો ત્યારે થીબ્સના અંદરોઅંદર લડતા લોકો ઇડિપસને થીબ્સમાં લાવવા માગતા હતા. તેઓ માનતા હતા કે, ઇડિપસ પાછો ફરશે તો થીબ્સનું નસીબ પણ પાછું આવશે. પણ તેમ ન થયું.

ઇડિપસ એથેન્સમાં કોલોનસ નામનાં વૃક્ષોના જંગલમાં મૃત્યુ પામ્યો. આ જંગલમાં જ ક્યાંક તેની કબર હોવાનું મનાય છે અને એમ પણ કહેવાય છે કે ઇડિપસના આગમન પછી એથેન્સનું નસીબ પાછું ફર્યું. ઇડિપસ એથેન્સમાં મૃત્યુ પામ્યો તે પછી એથેન્સની પ્રગતિનો ઉદય થયો.

‘ઇડિપસ’ની આ દંતકથા અનેક વાર કહેવાઈ છે. અનેક વાર લખાઈ છે. ઇડિપસ લેટિન સાહિત્યની એક યાદકાર કૃતિ-ટ્રેજેડી છે. ઇજિપ્તના પિરામિડોમાં એક વિશાળ ‘સ્ફિન્ક્સ’ પણ જોવા મળે છે. અલબત્ત, ‘ઇડિપસ’ની આ કથા ગ્રીક કવિ અને નાટયલેખક સોફોક્લિસની કૃતિ પર આધારિત છે. સોફોક્લિસ ઈસુના જન્મ પૂર્વ ૪૦૬ની સાલની આસપાસ થઈ ગયા. તેમણે કુલ સાત કરુણાંતિકાઓ લખી હતી. તેમાંથી આજે જે કૃતિઓ વિશ્વ પાસે બચી છે તેમાં (૧) Ajax. (૨) Odepus Rex. (૩) Antigone અને (૪) Odeipus at Cononus છે.

સોફોલિક્સ શબ્દ બે શબ્દોમાંથી બનેલો છે. ‘Sofo’નો અર્થ છે Wise અને ‘Cles’નો અર્થ છે Glorius-famous. Famous for wisdom અર્થાત્ ડહાપણ માટે જે વ્યક્તિ જાણીતી હતી તે.

‘ઇડિપસ’ની આ કથા અને તેમાં અભિપ્રેત ભાવના આધારે ઘણાં વર્ષો પછી આધુનિક મનોવિજ્ઞાાનના પિતા એવા જર્મનીના મનોવૈજ્ઞાાનિક ડો. સિગ્મંડ ફ્રોઇડે ‘ઇડિપસ’ના નામના આધારે માનવીના કેટલાંક વર્તન માટે ‘ઇડિપસ કોમ્પ્લેક્સ’ એવું નામ આપ્યું હતું. આવી ગ્રંથિથી પીડાતાં બાળકો માતાને પ્રેમ કરતા તેના પિતાથી પણ ઈર્ષા અનુભવતા હોય છે. આ ગ્રંથિની તીવ્રતા પરાકાષ્ઠાએ હોય ત્યારે બાળક અજાણતાં જ તેના પિતાનું મૃત્યુ ઇચ્છતું હોય છે. આવી મનોવિકૃતિ ધરાવનાર બાળકો કે વ્યક્તિઓ ‘ઇડિપસ કોમ્પ્લેક્સ’થી પીડાય છે તેમ કહેવાય છે. અલબત્ત, ગ્રીક લેખકની દંતકથાનો નાયક ઇડિપસ સ્વયં આવી કોઈ માનસિક બીમારીનો રોગી નહોતો. એણે તો અજાણતાં જ માતા સાથે લગ્ન કર્યું હતું અને અજાણતાં જ પિતાની હત્યા કરી નાખી હતી.


Produktdetails isbn 978-3-411-86196-5 erscheinungsjahr 2010 format 17,0 x 24,0 cm marke cornelsen scriptor ähnliche produkte im shop sms bachelorarbeit schreiben lassen auf englisch deutsch – aufsatz 5.

NAMO ,THE CONQUEROR (રેડ રોઝ) Oct 12, 2014 01:43

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ૧૯૪૯ના ગ્રીષ્મમાં એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સૌપ્રથમ વાર તેમના જીવનમાં અમેરિકાની યાત્રા કરી હતી. એ વખતના રાજદૂતોએ એ યાત્રાને સૌજન્યયાત્રા કહી હતી. એ વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ હેરી એસ. ટ્રુુમેનને જવાહરલાલ નહેરુ અકળાવનારી વ્યક્તિ લાગી હતી. તેમના મતે ભારતનું કોઈ ખાસ મહત્ત્વ નહોતું. વર્ષો સુધી ભારત એ મદારીઓનો અને ગંગામાં સ્નાન કરવા માટે જાણીતો દેશ હતો. આઝાદી પછી જવાહરલાલ નહેરુ રશિયાથી પ્રભાવિત હતા. નહેરુ યુગમાં ભારત અમેરિકા વિરોધી રશિયાના મિત્ર તરીકે ઓળખાતું રહ્યું.આ વાતને વર્ષો થઈ ગયાં. સમય બદલાતો રહ્યો. પાકિસ્તાનના ભારત પરના આક્રમણ વેળા રશિયા ભારત સાથે રહ્યું. ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકાએ ભારતને મદદ કરી. અમેરિકા-રશિયા વચ્ચેનું શીતયુદ્ધ ખતમ થઈ ગયું. પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને રાજીવ ગાંધીના વલણમાં પણ ફરક આવ્યો. એવા સમયે ભારતનો એક યુવાન કોઈ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં માત્ર યુવક તરીકે જ હાજર રહેવા ગયો હતો. એણે ન્યૂ યોર્કનું મેનહટન જોયું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું. વોશિંગ્ટનમાં દૂરથી વ્હાઈટ હાઉસ જોયું અને એક રેલિંગની પેલે પાર ઊભા રહી વ્હાઈટ હાઉસને નિહાળ્યાં કર્યું. એ યુવાને એ જ સમયે અમેરિકાનાં ૫૦માંથી ૨૯ જેટલાં રાજ્યો ખૂંદી કાઢયાં હતાં. અલબત્ત, એ યુવાન પાસે ખિસ્સામાં બહુ પૈસા નહોતા. સસ્તી ટિકિટ લેવા માટે એણે સસ્તી એરલાઇન્સ શોધી કાઢી. હોટલનાં બિલ બચાવવા લેઈટ નાઇટ ફલાઈટ્સ લીધી. સવારે કોઈ શહેરમાં પહોંચાય જેથી હોટલનું ભાડું બચી જાય. અમેરિકામાં આને ‘રેડ આઈ’ ફલાઈટ્સ કહે છે, કારણ કે આખી રાત પ્લેનમાં ઊંઘ ન આવે તેથી સવારે આંખ લાલ થઈ ગઈ હોય. એ બધાં ખર્ચ માટે એ યુવાને ૫૦૦ ડોલર બચાવી રાખ્યા હતા. એ વખતે એ બહુ મોટી રકમ હતી અને એ રકમમાં એણે અમેરિકાનાં ૨૯ રાજ્યોને જોઈ નાંખ્યાં.

એ યુવાન નરેન્દ્ર મોદી હતા. ૨૦ વર્ષ પહેલાં વોશિંગ્ટનમાં એક રેલિંગ પાસે ઊભા રહી વ્હાઈટ હાઉસ નિહાળનાર એ યુવાનને ખબર નહોતી કે આ જ વ્હાઈટ હાઉસમાં વિશ્વનો સૌથી શક્તિશાળી પ્રેસિડેન્ટ તેમનું રેડ કાર્પેટથી સ્વાગત કરશે. ૧૧ વર્ષ સુધી અમેરિકામાં પ્રવેશવાના વિઝા ન આપનાર અમેરિકાની સરકાર તેમનું ભવ્ય સ્વાગત કરશે. ખુદ ભારતીય અમેરિકનોને પણ ખબર નહોતી કે ભારતીય મૂળ ધરાવતા અમેરિકનોને ભારતમાં પ્રવેશવાના લાઇફટાઇમ વિઝા અને અમેરિકન નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ મળી જશે.

વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા અને એક જ પ્રવચનથી અમેરિકનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. એ ઘટનાનું ઘણાં વર્ષો બાદ અમેરિકાની ધરતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુનરાવર્તન કર્યું. બંને વચ્ચે સામ્ય એ છે કે બંનેનું નામ ‘નરેન્દ્ર’ છે. તફાવત એ છે કે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિક પ્રતિભા હતા. નરેન્દ્ર મોદી રાજનૈતિક પ્રતિભા છે.

ન્યૂ યોર્કના મેડિસન સ્કવેર ગાર્ડનમાં સર્જાયેલાં દૃશ્યો બે બાબતો પ્રતિપાદિત કરતાં હતાં. એક તો નરેન્દ્ર મોદીની ૩૬૦ ડિગ્રી-શ્રેષ્ઠ વક્તૃત્વ કળા અને પ્રજાનો પણ ૩૬૦ ડિગ્રી શ્રેષ્ઠ પ્રતિભાવ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રત્યેક વાક્યે ૧૮૦૦૦ શ્રોતાઓની તાળીઓની ગુંજ સંભળાતી હતી. પ્રાચીન રોમન એરેનામાં ગ્લેડિયેટર્સના યુદ્ધ પછી વિજેતા બનેલા ગ્લેડિયેટર માટે જે ગુંજ સંભળાતી હતી તેવી જ લોકગર્જના મેડિસન સ્કવેર ગાર્ડનમાં સંભળાતી હતી. આટલું સ્ટેન્ડિંગ ઓવેશન આજ સુધી કોઈ ભારતીય નેતાને મળ્યું નથી. લોકો હર પળ ‘મોદી-મોદી-મોદી’ પોકારતા હતા! આ એક પ્રકારની વિજય રેલી હતી. જે અમેરિકાએ નરેન્દ્ર મોદીને ૧૧ વર્ષ સુધી વિઝા આપવા ઈન્કાર કર્યો એ જ વ્યક્તિને અમેરિકાએ ઝૂકી જઈને આમંત્રણ પાઠવવું પડયું તેનો પ્રતિઘોષ મેડિસન સ્કવેર ગાર્ડનમાં જોવા મળતો નહોતો. આજ સુધીમાં કોઈ પણ ભારતીય નેતા અમેરિકા પ્રજાનાં હૃદય, દિલો-દિમાગ સાથે આટલા કનેક્ટ થયા નથી. મેડિસન સ્કવેર ગાર્ડનમાં નરેન્દ્ર મોદી એક રોકસ્ટારની જેમ આવ્યા, પરફોર્મ કર્યું અને લોકોને મંત્રમુગ્ધ કરી એક વિજેતાની જેમ જતા રહ્યા.

અલબત્ત, અત્રે એ વાત નોંધવી જોઈએ કે, અમેરિકામાં રહેતી ભારતીય મૂળની પ્રજાએ કરેલા આ ભવ્ય અભિવાદન પાછળ તેમની અગણિત આશાઓ અને અપેક્ષાઓ પણ છે. માતૃભૂમિથી હજ્જારો માઈલ દૂર રહેતા ભારતીયો તેમના દેશને ભૂલ્યા નથી. ભલે કારકિર્ર્દી બનાવવા તેઓ સાત સમંદર પાર ગયા હોય, પરંતુ એક દિવસ તો તે બધાની વતન પાછા આવવાની ઇચ્છા હોય છે જ. અમેરિકા તેમની કર્મભૂમિ છે, પરંતુ ભારત તેમની માતૃભૂમિ છે. તેઓ ભારતને એક તાકાતવર દેશ તરીકે જોવા માગે છે. ભારતની ગરીબી દૂર થાય તેવી તેમની ઇચ્છા છે. બેરોજગારીની સમસ્યા હલ થાય તેમ તેઓ ઇચ્છે છે. ભ્રષ્ટાચાર દૂર થાય તેમ તેઓ ઇચ્છે છે. ગંગા અને બીજી બધી જ નદીઓ સ્વચ્છ થાય તેમ તેઓ ઇચ્છે છે. જડ અમલદારશાહી દૂર થાય તેમ તેઓ ઇચ્છે છે. રેલવે સ્ટેશનો સ્વચ્છ હોય એમ તેઓ ઇચ્છે છે. રીક્ષાવાળો કે ટેક્સીવાળો તેમને લૂંટે નહીં તેમ તેઓ ઇચ્છે છે. ભારતમાં નવા ઉદ્યોગો સ્થપાય અને રેડટેપિઝમ દૂર થાય તેમ તેઓ ઇચ્છે છે. આ બધી જ લાગણીઓ અને ઉમ્મીદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અસાધારણ સ્વાગતની ભીતર અભિપ્રેત હતી. એ અપેક્ષાઓ સંતોષવાની ક્ષમતા લોકોએ વડાપ્રધાનમાં નિહાળી છે. વડાપ્રધાન હવે અમેરિકાની પ્રજાને પ્રભાવિત કરીને પાછા આવી જ ગયા છે ત્યારે તેમની જવાબદારી વધી જાય છે અને એ જવાબદારીઓ પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાને ઓવરટાઈમ કામ કરવું પડશે.

એ વાતમાં કોઈ શક નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નસીબદાર વ્યક્તિ છે. તેમના તમામ દુશ્મનો અને હરીફો પરાસ્ત થતા જાય છે. કુદરત પણ તેમને મદદ કરે છે. અમેરિકી યાત્રાના થોડા દિવસ પહેલાં જ ૧૧ મહિના પહેલાં છોડવામાં આવેલું ‘મંગળયાન’ મંગળ સુધી પહોંચી ગયું અને એ જ ટાણે વડાપ્રધાને અમેરિકાની ધરતી પર ગર્વભેર પગ મૂક્યો. આડકતરી રીતે અમેરિકન વિજ્ઞાાનીઓ માટે પણ એ સંદેશ હતો કે ભારત હવે મદારીઓનો દેશ નથી. આજે અમે મંગળ સુધી પહોંચી શક્યા છીએ. આવતી કાલે અમારી ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ જરૂર પડે દુનિયાના કોઈ પણ દેશ સુધી પહોંચવા સક્ષમ છે.

અલબત્ત, મંગળયાનની સફળતા બાદ વડાપ્રધાનની એ જવાબદારી પણ વધી જાય છે કે દેશના કરોડો પરિવારોને વીજળી મળે, પાણી મળે, ઘર મળે, શૌચાલય પણ મળે. સ્કૂલ મળે અને ઉત્કૃષ્ટ શિક્ષણ પણ મળે. આ અપેક્ષા ભારતમાં વસતા ભારતીયોની અને વિશ્વભરમાં વસતા મૂળ ભારતીયોની છે.

એક અંગ્રેજ કવિ રૂડયાર્ડ કિપલિંગે કહ્યું છે કે, “પૂર્વ, પૂર્વ છે અને પશ્ચિમ, પશ્ચિમ છે. આ બંનેનું મિલન કદી શક્ય નથી.”- પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉક્તિ ખોટી પાડી છે. અમેરિકા પાસે હાર્ડવેર છે, ભારત પાસે સોફટવેર છે. અમેરિકા એક શક્તિશાળી લોકતાંત્રિક દેશ છે. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો લોકતાંત્રિક દેશ છે. અમેરિકા અને ભારતને પોતપોતાની આગવી અને કેટલીક એકસમાન સમસ્યાઓ છે. આતંકવાદ એ બંને દેશોની એકસમાન સમસ્યા છે. આર્િથક મંદી એ અમેરિકાની સમસ્યા છે, ગરીબી એ ભારતની સમસ્યા છે. આર્િથક મંદી દૂર કરવા અમેરિકાને મોટું બજાર જોઈએ છે. ભારત સ્વયં મોટું ગ્રાહક બજાર છે. ભારત ચારે તરફ દુશ્મનોથી ઘેરાયેલો દેશ છે અને તેણે સંરક્ષણ, શસ્ત્ર-સરંજામ આધુનિક બનાવવાં જરૂરી છે. અમેરિકા આ ક્ષેત્રમાં ભારતનું સહયોગી બની શકે છે. વીજ ઉત્પાદનમાં ભારતનું સહયોગી બની શકે છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચીન અને પાકિસ્તાનને ઠેકાણે રાખવા તે ભારત પર ભરોસો કરી શકે છે. આ બધી કૂટનીતિમાં ભારત અને અમેરિકાને એકબીજાની નજીક લાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ રહ્યા છે. બંને દેશોના નેતાઓની બોડી લેંગ્વેજ અને કેમિસ્ટ્રી પણ સાનુકૂળ હતી. આ સાનુકૂળ વાતાવરણનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે નરેન્દ્ર મોદી સક્ષમ છે. અમેરિકાએ અગાઉ તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દાખવેલા વલણની કટુતાને ભૂલી જઈને તેમણે અમેરિકી નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની જાહેરાત કરી તે તેમની ઉદારતા અને ઉત્કૃષ્ટ કૂટનીતિનો દાખલો છે. ખુદ અમેરિકાને જ શરમાવું પડે તેવી પરિસ્થિતિ તેમણે પેદા કરી દીધી. ખુદ અમેરિકા પણ નરેન્દ્ર મોદીના બેમિસાલ નેતૃત્વની ખૂબીઓને ધ્યાનપૂર્વક નિહાળી રહ્યું છે. જેથી બધા જ પ્રશ્નો હલ થાય. મોદી દરેક કાર્ય નિર્ધારિત સમયમર્યાદામાં પૂરું કરવા માટે જાણીતા છે અને તે માટે રાજનૈતિક સહમતી જરૂરી હોય છે. કામ એમણે કરી દીધું છે. ડિફેન્સના ક્ષેત્રમાં તેમણે એફડીઆઈની મર્યાદા ૪૯ ટકા કરી દીધી છે. ભારતને ડિફેન્સનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા બધી જ સાનુકૂળતાઓ ઊભી કરી આપી છે. ભારત આ ક્ષેત્રમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બની જશે તો લાખ્ખો યુવાનોને નોકરીઓ પ્રાપ્ત થશે. ભારત સરકારના આ નિર્ણયથી અમેરિકા ખુશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિયાન સફળ થાય તે જરૂરી છે. તેમની અમેરિકાની યાત્રા દરમિયાન અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો તેથી હવે એ બધી અપેક્ષાઓમાં પરિર્વિતત કરવી એ વડાપ્રધાન માટે એક ભગીરથ કાર્ય હશે.

ઓલ ધી બેસ્ટ મિ.પ્રાઈમ મિનિસ્ટર!

www. devendrapatel.in
Share This

Spouses, children, and parents or other relatives of u cheap essay writing service.

Powered by WordPress & Theme by Anders Norén