જયલલિથાએ તેમના બધા જ ઉમેદવારોને એક ચોક્કસ સમયે ઉમેદવારી ફોર્મ ભરાવ્યું
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ૨૪મી એપ્રિલે વારાણસીથી ઉમેદવારીપત્ર ભર્યું. ઝોમની જન્મ તારીખ તા.૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૦ છે. બપોરે ૧૨-૨૧ મિનિટે તેમનો જન્મ થયો હતો. ઝા. ૨૪મી એપ્રિલે ભદ્રાકાળ હોવાનું જ્યોતિષીઓએ શોધી કાઢયું હતું. ભદ્રાએ શનિદેવના બહેન છે અને સૂર્યદેવના પુત્રી છે. ભદ્રાના ૧૧ નામો છે. દેવતાઓ પણ ભદ્રાથી ગભરાય છે. રૃમ છતાં જ્યોતિષીઓ માને છે કે ભદ્રાનો અર્થ જ કલ્યાણ છે તેથી આ દિવસે કેટલીક પૂજાવિધિ કરાવ્યા બાદ ફોર્મ ભરવામાં વાંધો નથી એવો જ્યોતિષીઓનો મત હતો. કહેવાય છે કે ભદ્રાકાળની ઘડી વીતિ ગયા બાદ જ ફોર્મ ભરવામાં આવ્યું હતું.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓના કારણે માઈકવાળા, મંડપવાળા, ભાડાની જીપવાળા, પ્રિન્ટિંગ પ્રેસવાળા, એડ. કંપનીવાળા અને રેલીઓમાં લોકોને લાવવાવાળા કોન્ટ્રાક્ટરોને તો તડાકો છે જ પરંતુ જ્યોતિષીઓ અને તાંત્રિકોને પણ ભારે મોટી ઘરાકી નીકળી છે. ચૂંટણીનું ફોર્મ ભરતા પહેલાં લગભગ તમામ ઉમેદવારોને જ્યોતિષીઓ પાસે જઈ વિજય મુહૂર્તની જ ખોજ કરાવી છે. દ્ધાજરાત અને દેશના ઘણા દિગ્ગજનેતાઓને પોતાના પ્રાઈવેટ ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી એસ્ટ્રોલોજર અને પરિવારના ‘ગુરુ’ છે, તેમાં તાંત્રિક પણ ટ્વૈ શકે છે.
આ વખતે પહેલી જ વાર દેશભરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ભારે મતદાન થઈ રહ્યું છે. પરંતુ દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ,તેલંગાણા, તામિલનાડુ, કર્ણાટક અને કેરલમાં રાહુકાળમાં મોટાભાગના રાજનેતાઓ ફોર્મ ભરતા નથી, કારણ કે હિન્દુ શાસ્ત્રોમાં આ ઘડીને અશુભ દર્શાવવામાં આવી છે. દેશના બાકીના હિસ્સાની જેમ દક્ષિણ ભારતની રાજનીતિ શુકન, અપશુકન અને અંધ વિશ્વાસના સહારે ચાલે છે. રૃમ તો આખા દેશમાં મોટાભાગના હિન્દુઓ રાહુ કાળથી ડરતા હોય છે પરંતુ દક્ષિણ ભારતના રાજનેતાઓ આ સમયગાળામાં સહુથી વધુ સાવધાની રાખે છે. રૃ ડરના કારણે જ તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિથાએ પુડુચેરીની એક સીટ સહિત પોતાના તમામ ૪૦ ઉમેદવારોને સૂચના આપી હતી કે તેઓ તા.૧લી એપ્રિલે બપોરે ૧૨-૪૦ થી ૩ વાગ્યાની વચ્ચે જ તેમના ઉમેદવારી પત્ર ભરે. રૃ સમયગાળાને જ્યોતિષીઓએ સહુથી વધુ શુભ માન્યો હતો. રૃડીએમટ્વૈ સુપ્રીમો તામિલનાડુની બધી જ ૪૦ બેઠકો જીતવા માંગે છે, જેથી તેઓ વડા પ્રધાનપદ માટે દાવો કરી શકે. રૃડીએમકેના બધા જ ૪૦ ઉમેદવારોએ એ સમયગાળા દરમિયાન જ ઉમેદવારીપત્રો ભર્યાં હતા. રૃ દિવસે માત્ર એડીએમકેના જ ઉમેદવારોએ જ નહીં પરંતુ ભાજપાની સહયોગી પાર્ટી એમડીએમકેના પ્રમુખ વાઈકોએ પણ બપોરે ૧-૪૦ વાગે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. વાઈકો આમ તો રેશનલ એટલે કે તર્કવાદી દ્રવિડ વિચારધારાના સમર્થક માનવામાં આવે છે પરંતુ તેમણે પણ શુભ ઘડી જોયા બાદ જ ફોર્મ ભર્યું. રૃલબત્ત, વાઈકો સાર્વજનિક ટ્વૈ આ વાત સ્વીકારશે નહીં. રૃ જ ટ્વૈ કેટલાક સપ્તાહ પૂર્વે આકરી ગરમીમાં ડીએમકેના સમર્થકોને તેમના નેતા સ્તાલિનને સાંભળવા એક કલાક કરતાં વધુ સમય ઈઙ્મતજાર કરવો પડયો, કારણ કે સ્તાલિન એ દિવસે ‘રાહુકાળ’થી બચવા માગતા હતા.
આ તો પારંપારિક નેતાઓની વાત થઈ પરંતુ નંદન નિલેકણી કે જેમણે મધ્યમ વર્ગની પૃષ્ઠભૂમીમાંથી બહાર નીકળીને સર્વશ્રેષ્ઠ કોલેજ અને યુનિર્વિસટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને અબજોપતિ બન્યા છે પરંતુ તેમને પણ જ્યોતિષીઓએ ફદ્બાવી દીધા. જ્યોતિષીઓએ નંદન નિલેકણીને એવી સલાહ આપી કે તેમણે શુક્રવારે બપોરે ૧૨-૨૬ વાગે જ પોતાનું ઉમેદવારીપત્ર ભરવું,કારણ કે આ જ સહુથી વધુ શુભ મુહૂર્ત છે. નિલેકાણી દક્ષિણ બેંગલુરૃની સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રૃમણે ચૂંટણીના રિર્ટિંનગ ઓફિસરને બપોરના ૧૨-૧૫થી ૧૨-૪૫નો સમય અનામત કરાવ્યો હતો. પરંતુ એક અપક્ષ ઉમેદવાર એ પહેલાં એ જ સમયે ઘૂસી ગયો અને નિલેકણી બપોરે ૧૨-૩૫ વાગે જ પોતાનું ફોર્મ ભરી શક્યા. ઝો પછી નિલેકણીના સમર્થકોએ આરોપ મૂક્યો કે ભાજપાવાળાઓએ જ એ અપક્ષ ઉમેદવારને પ્લાન્ટ કર્યો છે.
મેંગલોરના બાયોકેમિસ્ટ્રીના પ્રોફેસર નરેન્દ્ર નાયકે કર્ણાટકના એ વખતના મુખ્યમંત્રી યદુયરપ્પા પર એવો આરોપ મૂક્યો હતો કે,યદુયરપ્પા તેમની ખુરશી બચાવવા કાલા જાદુ અને તાંત્રિકોને શરણે ગયા હતા, પરંતુ એવો કોઈ જાદુ કામ આવ્યો ન હોતો અને યઢ્ઢુયરપ્પાએ સત્તા છોડવી પડી હતી. યદુયરપ્પા તેમની ખુરશી બચાવવા કેટલાંયે મંદિરોમાં જઈ માથું ટેકવી આવ્યા હતા. ઝોઓ જે મંદિરોમાં જતા હતા તે મંદિરો કેટલાંક તો સાવ નિર્જન જ હતા.
બિહારના ચર્ચાસ્પદ નેતા લાલુપ્રસાદ યાદવે તાજેતરમાં તેમના નિવાસસ્થાને એક સ્વિમિંગ પૂલ બનાવરાવ્યો હતો. ઝો પછી તેમના પક્ષમાં બળવો થયો. કોઈ જ્યોતિષીએ કહ્યું કે, આ સ્વિમિંગ પૂલ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ખોટી દિશામાં છે, તેનું સ્થળાંતરણ કરી નાંખો. રૃ સ્વિમિંગ પૂલના કારણે જ પક્ષમાં બગાવત થઈ છે તે પછી લાલુએ એ સ્વિમિંગ પૂલમાં માટી ભરી તેન પૂરી દીધો. લાલુપ્રસાદનો એક અઘોરી જેવો ગુરુ પણ છે અને અવારનવાર આ સાધુ પાસે જઈ કેટલીક વિધિઓ કરાવે છે. જીલમાં જવું ના પડે તે માટે પણ તેઓ સાધુ પાસે ગયા હતા અને જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આ અઘોરી જેવા સાધુ પાસે ગયા હતા. ગ્દવે પૂર્વ વડાપ્રધાન દેવેગૌડાની વાત. દેવેગૌડાએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાનની બધી જ બારીઓ અને દરવાજાની દિશા બદલાવી નાંખી હતી કારણ કે જ્યોતિષીઓની એવી સલાહ હતી કે સત્તા ટકાવી રાખવા તમારે આમ કરવું પડશે પરંતુ દેવેગૌડાએ સત્તા છોડવી પડી અને સહુથી ઓછા સમય માટે વડાપ્રધાન તરીકે રહ્યા.
રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ૧૩-૧૩ વાગેના એટલે કે ૧ વાગીને ૧૩ મિનિટે મુખ્યમંત્રીપદ તરીકે શપથ લીધા હતા તેમના ઘરનું સરનામું પણ ૧૩, સિવિલ લાઈન્સ છે. ન્ન્ કે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનનું સરનામું ૮, સિવિલ લાઈન્સ છે પરંતુ વસુંધરા રાજે ૧૩ નંબરનો બંગલો જ પસંદ કર્યો છે. ઝોમના પ્રારંભિક મંત્રીમંડળની સંખ્યા પણ ૧૩ હતી. રાજનેતાઓ ભલે અલગ અલગ વિચારધારા ધરાવતા હોય પરંતુ પોતાના ચૂંટણી અભિયાનની શરૃઆત તો કોઈને કોઈ ધર્મસ્થળ પર જઈ માથું ટેકવીને જ કરે છે. સોનિયા ગાંધી, તેમના પુત્ર રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી પણ ઈન્દોર નજીક આવેલા એક પ્રાચીન ટ્વૈ મંદિરના મુખ્ય પૂજારી ઋષભ બાપજી મહારાજના આશીર્વાદ લેવા ગયા હોવાનું કહેવાય છે. મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા અને પછી શિવરાજસિંહ ચટ્વૈ પણ આ જ મંદિરમાં આશીર્વાદ લેવા ગયા હતા, મોહન ભાગવત પણ.
આઝાદી બાદ દેશની રાજનીતિમાં સહુથી વધુ નહેરુ- ગાંધી પરિવાર છવાયેલું રહ્યું. દિલ્હીની ગલિયારોમાં એક એવી માન્યતા પણ છે કે સત્તાનો લોહીના બ્લડ ગ્રૂપ સાથે નિકટનો સંબંધ છે. રૃખિલેશ યાદવ અને મુલાયમસિંહ બી પોઝિટિવ બ્લડ ગ્રૂપ ધરાવે છે,અને તે બંને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. નહેરુ પરિવારમાં ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પરિવારનું બ્લડ ગ્રૂપ ઓ નેગેટિવ હતું અને તે બંને દેશના વડાપ્રધાન બન્યા. ઁહુલ ગાંધી અને તેમની મટ્વૈ સોનિયા ગાંધીનું બ્લડ ગ્રૂપ ઓ પોઝિટિવ છે. સંજોગોના કારણે બંને આજ સુધી વડાપ્રધાન બની શક્યાં નથી. સોનિયા ગાંધી માટે તેમનું વિદેશી મૂળ નેગેટિવ ફેક્ટર બન્યું અને તેઓ વડાપ્રધાન ના બની શક્યાં. રૃ જ ટ્વૈ રાહુલ ગાંધી સરકાર વિરોધી લહેરનો સામનો કરી રહ્યા છે. પરંતુ રાહુલની બહેન પ્રિયંકા ગાંધીનું બ્લડ ગ્રૂપ ઓ નેગેટિવ છે જે ઈન્દિરા ગાંધીનું હતું, તો ભવિષ્યમાં શું પ્રિયંકા ગાંધી એક દિવસ વડાપ્રધાન બનશે ?
– દેવેન્દ્ર પટેલ


What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "